કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના હિંમતનગરમાં બાયોગેસ અને બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર રેલી ૨૬ નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસે દિલ્હી પહોંચશે
અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ કાર રેલીનો મુખ્ય આશય ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટેનો છે. આ ઉપરાંત શ્રી શાહે બનાસકાંઠાની સાબરડેરીના દૈનિક 800 મેટ્રિક ટનની ક્ષમતાના પશુઆહાર ઉત્પાદનના પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે મહિલા પશુપાલકો સાથે પણ સંવાદ સાધ્યો હતો.
Site Admin | નવેમ્બર 20, 2024 9:35 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબરડેરીના દૈનિક 800 મેટ્રિક ટનની ક્ષમતાના પશુઆહાર ઉત્પાદનના પ્લાન્ટના ઉદઘાટન કર્યું
