કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે સુરતના બારડોલી ખાતે કહ્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષમાં દેશ બદલાયો છે.. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના સમાપન પ્રસંગે સંબોધન કરતાં શ્રી ચૌહાણે કહ્યું હતું કે દેશનો સર્વાગી વિકાસ થયો છે. સરદાર પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહની 97મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા ખેડૂત સંમેલનમાં તેમણે કહ્યુ હતું કે સરદાર પટેલના કારણે આજે દેશ છે..
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બોલતા કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે આજે દેશનો ખેડૂત સક્ષમ અને અગ્રેસર બની રહ્યો છે..
શ્રી ચૌહાણે 29મી મેના રોજ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો ઓરિસ્સાથી આરંભ કરાવ્યો હતો અને આજે બારડોલીમાં તેનું સમાપન કર્યું હતું..
Site Admin | જૂન 12, 2025 6:52 પી એમ(PM)
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે બારડોલીમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું સમાપન કરાવ્યું
