ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 23, 2025 8:10 એ એમ (AM) | શિવરાજસિંહ ચૌહાણે

printer

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને નિરીક્ષણ માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને નિરીક્ષણ માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, રાજ્યસ્તરે પણ આ સમિતિઓ રચાશે, જે જિલ્લા વિકાસ અધિકારી મારફતે પ્રાકૃતિક ખેતીની પ્રગતિનો અહેવાલ સરકાર સુધી પહોંચાડશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુરુકુલ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લેતા ગઈકાલે શ્રી ચૌહાણે આ જાહેરાત કરી હતી. દરમિયાન શ્રી ચૌહાણે કહ્યું, “શ્રી દેવવ્રત દ્વારા શરૂ કરાયેલું પ્રાકૃતિક ખેતી અભિયાન હવે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી અભિયાન તરીકે જન-આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અભિયાન થકી દેશનો ખેડૂત આર્થિક રીતે તો સમૃદ્ધ બનશે જ, પરંતુ જમીનની ફળદ્રુપતામાં સુધારો તેમજ 50 ટકા સુધી પાણીની બચત શક્ય બનશે.”

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ