ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું, તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચશે

કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું, તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચશે. ગાંધીનગરમાં બે દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી જાધવે જણાવ્યું કે, ‘રોગ મુક્ત ભારત અભિયાન’માં હોમીયોપેથી ઉપચારને સાથે રાખીને આવનારા સમયમાં કામગીરી કરવાની રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, 48 હોમિયોપેથી કોલેજ સાથે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ગુજરાત દેશના અગ્રેસર રાજ્યમાં સ્થાન પામ્યું છે. શ્રી પટેલે જણાવ્યું, જામનગરનું WHO વૈશ્વિક પરંપરાગત દવા કેન્દ્ર એ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં નવું સીમાચિહ્ન બનશે. દરમિયાન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ 48 હોમિયોપેથી કોલેજ ગુજરાતમાં છે. હાલમાં ૪ હજાર ૩૬૦ સ્નાતક અને ૩૨૨ અનુસ્નાતકની બેઠક સાથે રાજ્યમાં હોમિયોપેથી શિક્ષણ માટેનું ઉત્તમ માળખું ઉપલબ્ધ છે. હાલમાં અંદાજે ૧૫ લાખ જેટલા દર્દીઓ હોમીઓપેથી ચિકિત્સાનો લાભ લ‌ઈ રહ્યા છે જે ગૌરવ સમાન છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ