કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં સુશાસન પદયાત્રા યોજી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા.વડનગરના તાનારીરી મેદાન ખાતેથી માય ભારત સુશાસન દિવસ પદયાત્રા યોજાઈ હતી.આ પદયાત્રામાં સાત કિલોમીટર નીહતી. જેમાં શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ મોડવીયા તેમજ ખેલ રાજયમંત્રી રક્ષા ખડસે અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે યોજાયેલી. આ પદયાત્રામાં સ્થાનિક યુનિવર્સિટીઓ, કોલેજો, એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના 15,000થી વધુ MY Bharat યુવા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.
Site Admin | ડિસેમ્બર 24, 2024 2:04 પી એમ(PM) | કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવિયા
કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં સુશાસન પદયાત્રા યોજી
