જાન્યુઆરી 22, 2026 9:25 એ એમ (AM)

printer

કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા બનાસકાંઠાના જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગઇકાલે ગાંધીનગર ખાતે સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠક યોજાઈ. બેઠકમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રાલય દ્વારા જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવાયું હોવાની જાહેરાત કરવામાં આવી હતી.બેઠકમાં શ્રી પટેલે રાજ્યના સંરક્ષિત વન વિસ્તારમાં મુલાકાતીઓના ધસારાને પગલે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય એની કાળજી લેવા વન વિભાગને સૂચનો કર્યા હતા.ઉપરાંત રતનમહાલ અભયારણ્યમાં વાઘના સ્થાયી થવાની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.