કૃષિ હેતુઓ માટે પાણીના ઉપયોગ પર કર લાદવાની યોજના બનાવાઇ રહી હોવાની વાતને સરકારે ફગાવી દીધી છે. જળ શક્તિ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે નવી યોજના-“કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ અને વોટર મેનેજમેન્ટનું આધુનિકીકરણ” હેઠળ કરવેરા સંબંધિત અફવાઓ પાયાવિહોણી અને ખોટી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કોઈ જોગવાઈ નથી, કે સરકાર તરફથી કોઈ નિર્દેશ નથી કે, પાણીના ઉપયોગ માટે ખેડૂતો પર વપરાશકર્તા શુલ્ક લાદવામાં આવે.
Site Admin | જૂન 28, 2025 2:08 પી એમ(PM)
કૃષિ હેતુઓ માટે પાણીના ઉપયોગ પર કર લાદવાની યોજના બનાવાઇ રહી હોવાની વહેતી થયેલી વાતને સરકારે ફગાવી