ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 1, 2024 4:03 પી એમ(PM) | અમરનાથ યાત્રા

printer

કાશ્મીરમાં કોઈ વિધ્ન વગર સરળતાથી ચાલી રહી છે શ્રી અમરનાથજીની વાર્ષિક યાત્રા..

કાશ્મીરમાં શ્રી અમરનાથજીની વાર્ષિક યાત્રા કોઈ વિધ્ન વગર સરળતાથી ચાલી રહી છે. અમારા શ્રીનગરના પ્રતિનિધી જણાવે છે કે, અત્યાર સુધી 28 હજાર 534 શ્રધ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફામાં કુદરતી રીતે રચાતા બરફના શિવલિંગનાં દર્શન કર્યા છે. યાત્રા માટે સલામતીનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. નુવાન અને બાલતાલ બેઝ કેમ્પ ખાતે દેશનાં વિવિધ ભાગમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પહોંચી રહ્યા છે.
દરમિયાન, આજે વહેલી સવારે જમ્મુમાં છ હજાર 461 યાત્રીઓની નવી બેચ જમ્મુમાં ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થઈ હતી. બાલતાલ કેમ્પથી બેહજાર 321 અને નુવાન-ચંદનવાડી બેઝ કેમ્પથી ચાર હજાર 140 યાત્રીઓ રવાના થયા હતા. યાત્રીઓએ વહીવટી તંત્ર અને અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.