કરદાતાઓને સુવિધા આપવા માટે, 31 માર્ચ 2025 ના રોજ જાહેર રજા હોવા છતાં, બધી બેંકો ખુલ્લી રહેશે. આજે જારી કરાયેલા એક જાહેરનામામાં, રિઝર્વ બેંકે કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં જ સરકારી રસીદો અને ચૂકવણીના હિસાબને સરળ બનાવવા માટે દેશભરમાં ખાસ ક્લિયરિંગ કામગીરી હાથ ધરવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાંઆવી છે. બેંકોને અલગ સૂચનાઓ જારી કરીને, RBI એ બેંકોને 31 માર્ચના રોજ સામાન્ય કામકાજના કલાકો સુધી ઓવર-ધ-કાઉન્ટર વ્યવહારો માટે શાખાઓ ખુલ્લી રાખવા જણાવ્યું છે.
Site Admin | માર્ચ 17, 2025 7:33 પી એમ(PM) | બેંકો
કરદાતાઓને સુવિધા આપવા માટે, 31 માર્ચ 2025 ના રોજ જાહેર રજા હોવા છતાં, બધી બેંકો ખુલ્લી રહેશે
