કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરના શિહોર ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠક બાદ તેમણે કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જાબાળ, ઘનશ્યામનગર ગામના ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકોનું નિરીક્ષણ કર્યું. તેમણે જણાવ્યું, રાજ્ય સરકાર ખેડૂતોની પડખે રહી પૂરતી મદદ કરશે.
Site Admin | ઓક્ટોબર 28, 2025 3:23 પી એમ(PM)
કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે….