કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે રાજકોટ સહકારી બેંકે ખેડૂતો માટે લોનની જાહેરાત કરી છે. ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ૧ વર્ષ માટે લોન આપવામાં આવશે. હેક્ટર દીઠ ૧૦ હજાર રૂપિયા અને વધુમાં વધુ ૫ હેક્ટર સુધી લોન મેળવી શકાશે. એક ખેડૂત વધારેમાં વધારે ૫૦ હજાર રૂપિયાની લોન લઇ શકે છે. ખેડૂતોએ ૧ વર્ષમાં લોન પરત કરવાની રહેશે, આ સામે તેમણે કોઈપણ પ્રકારની જામીન આપવાની રહેશે નહિ. ખેડૂતોને ઝીરો ટકા લોન આપવાને કારણે બેંકને ૧૦૦ કરોડ રૂપિયાનો બોજો પડશે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 7:08 પી એમ(PM)
કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે રાજકોટ સહકારી બેંકે ખેડૂતો માટે લોનની જાહેરાત કરી
