સપ્ટેમ્બર 20, 2025 3:28 પી એમ(PM)

printer

ઓપરેશન સિંદૂરમાં ભારતીય સશસ્ત્ર દળોએ મુરિદકેમાં આતંકી ઠેકાણાનો નાશ કર્યો હોવાનો લશ્કર-એ-તૈયબાનો સ્વીકાર

ઓપરેશન સિંદૂર અંગે વિશ્વ મંચ પર પાકિસ્તાનના ખોટા દાવાઓને વધુ એક ફટકો આપતા, લશ્કર-એ-તૈયબા ના એક કાર્યકર્તાએ સ્વીકાર્યું છે કે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશનમાં મુરિદકેમાં મરકઝ તૈયબા ખાતે આતંકવાદી જૂથના મુખ્ય મથકનો નાશ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થયેલા એક વીડિયોમાં, લશ્કર કમાન્ડરે સ્વીકાર્યું કે સાત મેના ઓપરેશનમાં નાશ પામેલા મુરિદકે આતંકવાદી શિબિરનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે. તેણે સ્વીકાર્યું કે અનેક આતંકવાદીઓએ નાશ પામેલા શિબિરમાં તાલીમ લીધી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.