ડિસેમ્બર 1, 2025 8:33 એ એમ (AM)

printer

ઓપરેશન સાગરબંધુ હેઠળ શ્રીલંકામાં ફસાયેલા ભારતીયોને પરત લવાયા

ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતીય વાયુસેનાએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. ચક્રવાત દિત્વાહને કારણે શ્રીલંકામાં ફસાયેલા ૩૩૫ ભારતીયોને તિરુવનંતપુરમ પરત લાવવામાં આવ્યા હતા. દરમિયાન ચક્રવાત દિત્વાહ ઉત્તર તમિલનાડુ-પુડુચેરી કિનારા તરફ સમાંતર આગળ વધી રહ્યું છે. ચક્રવાત દિત્વાહ એક ઘેરા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે તે ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાથી લગભગ 80 કિમી દૂર કેન્દ્રિત છે. આજે સવાર સુધીમાં ધીમે ધીમે વધુ નબળું પડશે. તે થોડા કલાકોમાં દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીથી 40 કિમી દૂર અને ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાથી ઓછામાં ઓછા 20 કિમી દૂર કેન્દ્રિત થશે. કરાઈકલ અને ચેન્નાઈમાં ડોપ્લર હવામાન રડારનો ઉપયોગ કરીને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ચેન્નાઈ સહિતના કિનારાના બંદરો પર પોર્ટ સિગ્નલ ચેતવણી નંબર 3 ફરકાવાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.