ઓગસ્ટ 26, 2025 7:26 પી એમ(PM)

printer

એસ ટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્યના એસ.ટી.નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ એકસ પર આ અંગેની જાહેરાત કરતાં કહ્યું કે, આ વધારા સાથે હવે એસટીના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ૫૫% ચૂકવાશે.જ્યારે વાહનવ્યવહાર વિભાગ દ્વારા ભાદરવી પૂનમના મહામેળામાં આ વર્ષે પહેલી સપ્ટેમ્બરથી થી ૭ સપ્ટેમ્બર દરમિયાન કુલ પાંચ હજાર ૫૦૦ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે મુસાફરોને અંબાજીના મેળામાં જવા માટે સુગમતા રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.