રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં એક હજાર 500 કરોડના જમીન કૌભાંડના મામલામાં કેન્દ્ર સરકારની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) દ્વારા સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલના ઘર પર દરોડા પડાયા હતા. આ ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા કલેકટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા હતા.હવે આ જમીન કૌભાંડ અંગે લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ખાસ તપાસ દળની રચના કરવામાં આવી છે. જેના કારણે પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. આ કેસની તપાસ હવે એસીબીના અધિક નિયામક બિપિન અહિરેના નેજા હેઠળ 6 સભ્યોની સીટ દ્વારા કરવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 6, 2026 9:19 એ એમ (AM)
એસીબીના અધિક નિયામકની અધ્યક્ષતામાં રચાયેલું 6 સભ્યોનું ખાસ તપાસ દળ સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસની તપાસ કરશે