જૂન 14, 2025 9:26 એ એમ (AM)

printer

એર ઇન્ડિયાના વિમાન બોઇંગ 787ના અકસ્માતના કારણે દેશ-વિદેશમાં હજારો પરિવારો શોકમગ્ન બન્યા

એર ઇન્ડિયાના વિમાન બોઇંગ 787ના અકસ્માતના કારણે દેશ-વિદેશમાં હજારો પરિવારો શોકમગ્ન બન્યા છે. અકસ્માતના એપી સેન્ટર જેવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશ-વિદેશથી લોકોના સ્વજનો પહોંચી રહ્યા છે. જ્યારથી અકસ્માતના સમાચાર વેગીલા બન્યા છે, ત્યારથી આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર, અને સુરક્ષા તંત્ર ખડેપગે છે, અને અસરગ્રસ્ત પરિવારોને સહાયરૂપ થવા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.