એક દેશ એક ચૂંટણી પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક સંસદ ભવનમાં હાલમાં ચાલી રહી છે. 39 સભ્ય ધરાવતી આ સમિતિમાં 27 સભ્ય લોકસભા અને 12 સભ્ય રાજ્યસભાના છે. આ સમિતિ ભારતીય બંધારણના 129-મા સંશોધન વિધેયક 2024 અને કેન્દ્રશાસિત ક્ષેત્ર કાયદા સંશોધન વિધેયક 2024ની તપાસની વ્યાપક પ્રક્રિયાનો ભાગ છે, જેનો ઉદ્દેશ લોકસભા અને રાજ્યસભાઓ માટે એકસાથે ચૂંટણી કરાવવાનો વિચાર કરવાનો છે.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ પી. પી. ચૌધરીની અધ્યક્ષતાવાળી આ સમિતિ કાયદના નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા કરી રહી છે. બેઠકમાં પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ જગદીશ સિંહ ખેહર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા મુદ્દા પર સમિતિ સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.
Site Admin | જુલાઇ 11, 2025 2:05 પી એમ(PM)
એક દેશ એક ચૂંટણી પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક સંસદ ભવનમાં ચાલી રહી છે.
