ફેબ્રુવારી 17, 2025 2:12 પી એમ(PM) | ઉપ-રાષ્ટ્રપતિ

printer

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢ, મોહાલી અને પંજાબના એક દિવસના પ્રવાસે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢ, મોહાલી અને પંજાબના એક દિવસના પ્રવાસે છે. આજે સવારે શ્રી ધનખડ સૌથી પહેલા ચંદીગઢ પહોંચ્યા હતા. હવાઈમથક પર હરિયાણાના રાજ્યપાલ બંદારુ દત્તાત્રેય, પંજાબના મંત્રી તરૂણપ્રીતસિંહ સોંદ, હરિયાણાના મંત્રી શ્યામસિંહ રાણા સહિતના મહાનુભાવોએ શ્રી ધનખડનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શ્રી ધનખડ મોહાલી સ્થિત રાષ્ટ્રીય કૃષિ ખાદ્ય અને બાયોમેન્યુફેક્ચરિંગ સંસ્થા- NABI ખાતે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ઉપરાંત તેઓ ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાના સ્ટાફના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ સાથે યોજાનારા એક સત્રની પણ અધ્યક્ષતા કરશે.