ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણો પર આધારિત બે સંકલિત પુસ્તકો, “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ”નું વિમોચન કર્યું.
આ પ્રસંગે બોલતા, શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે પ્રધાનમંત્રી મોદી ભારત અને વિદેશમાં લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના ચોથા અને પાંચમા વર્ષના પસંદગીના ભાષણો ધરાવતા આ પુસ્તકો ઘણી રીતે તેમના દ્રષ્ટિકોણ અને સુશાસન પ્રત્યેના અભિગમને પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ રાજકારણને જાહેર સેવાના માધ્યમમાં પરિવર્તિત કર્યું છે. શ્રી વૈષ્ણવે ભાર મૂક્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત વિશ્વનો સૌથી મોટો ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ અમલમાં મૂકી રહ્યું છે, જે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ પૂરું પાડે છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે દેશભરમાં 54 કરોડ જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે અને 13 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા છે.
રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ અને માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 22, 2025 1:45 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પ્રધાનમંત્રીના ભાષણો પર આધારિત બે સંકલિત પુસ્તકોનું વિમોચન કર્યું