ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ-NCCએ પ્રશંસનીય ભૂમિકા ભજવી. શ્રી રાધાકૃષ્ણને નવી દિલ્હીમાં NCC પ્રજાસત્તાક દિવસ પરેડ કેમ્પ 2026 ને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. ઓપરેશન સિંદૂરની સફળતા પર પ્રકાશ પાડતા શ્રી રાધાકૃષ્ણને કહ્યું,
આ ઓપરેશન દેશના રાષ્ટ્રીય સન્માન, સાર્વભૌમત્વ અને લોકોના રક્ષણ માટેના સંકલ્પને દર્શાવે છે.
તેમણે કહ્યું કે, NCC, તેના સૂત્ર એકતા અને શિસ્ત સાથે, જવાબદાર અને દેશભક્ત નાગરિકોની પેઢીઓને સતત ઉછેરતું રહ્યું છે. શ્રી રાધાકૃષ્ણને NCC કેડેટ્સને પર્વતારોહણ, સાહસિક પ્રવૃત્તિઓ, યુવા વિનિમય કાર્યક્રમો અને આપત્તિ રાહત પ્રયાસોમાં તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન આપ્યા
Site Admin | જાન્યુઆરી 5, 2026 7:47 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન NCCએ પ્રશંસનીય ભૂમિકા ભજવી