રાજ્યમાં રોકાણ કરનાર 15 મોટા એકમોને મંજૂરી અપાઈ. ગાંધીનગર ખાતે મોટા ઉદ્યોગોને અંતિમ પાત્રતા પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠકમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યુ કે આ 15 નવા ઉદ્યોગો રાજ્યમાં કુલ એક હજાર કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ કરશે; જેનાથી અંદાજે 3 હજાર 697 જેટલી નવી રોજગારીનું પણ સર્જન થશે. રાજ્યમાં આવનાર આ ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. સહાય માટે ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજના’ હેઠળ મંજૂરી અપાઈ છે.
આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં એક લાખ 48 હજાર કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ અને એક લાખ 65 હજાર કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન થયું છે.
Site Admin | જુલાઇ 22, 2025 7:05 પી એમ(PM)
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્યમાં રોકાણ કરનાર 15 મોટા એકમોને મંજૂરી આપી