ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને સરકારે સહાય આપવાની જાહેરાત કરી છે. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને 200 રૂપિયા પ્રતિ કિવન્ટલની સહાય ચૂકવશે. આ સહાય પચાસ હજારની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે.આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, વર્ષ 2024-25 રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે 93 હજાર 500 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે વધુ હોવાથી રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન પણ અંદાજિત 248.70 લાખ ક્વિન્ટલ જેટલુ નોંધાયું છે.પુષ્કળ ઉત્પાદનના પરિણામે APMCમાં ડુંગળીની આવક વધુ થતા લાલ અને સફેદ ડુંગળીના ભાવ રાજ્યની મુખ્ય APMCમાં ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા જોવા મળ્યા હતા. આવા સમયે રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા માટે ભારત સરકારની માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવશે. ગત તા. 1 એપ્રિલથી 31 મે, 2025 દરમિયાન ડુંગળીનું APMCમાં વેચાણ કર્યું હોય, તેવા ખેડૂતોને ૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સહાય અપાશે.
Site Admin | જુલાઇ 1, 2025 9:29 એ એમ (AM)
ઉત્પાદન કરતા ઓછા ભાવ મળતા રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોને ૨૦૦ રૂપિયા પ્રતિ કિવન્ટલની સહાય ચૂકવવાનો રાજ્ય સરકારનો નિર્ણય