જાન્યુઆરી 4, 2025 3:12 પી એમ(PM)

printer

ઉત્તર રેલવેના જમ્મુ તાવી મથક પર પુનઃવિકાસના કામના કારણે કેટલીક ટ્રેનને આંશિક રીતે રદ કરાઈ છે

ઉત્તર રેલવેના જમ્મુ તાવી મથક પર પુનઃવિકાસના કામના કારણે કેટલીક ટ્રેનને આંશિક રીતે રદ કરાઈ છે. 7થી 13 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરથી ઉપડનારી ગાંધીનગર કેપિટલ – જમ્મુ તાવી એક્સપ્રેસ, 12મી તારીખે સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ – શહીદ કપ્તાન તુષાર મહાજન એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. ઉપરાંત આ કેટલીક ટ્રેનના પ્રારંભિક મથકો પણ બદલવામાં આવ્યા છે. ટ્રેનના સમય અને રોકાણ સહિતની માહિતી માટે, મુસાફરો રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.