ઉત્તર પ્રદેશના લખનૌ જિલ્લાના કાકોરી વિસ્તારમાં બસ પલટી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ગઈકાલે મોડી સાંજે હરદોઈ જિલ્લાથી આવી રહેલી બસે કાબુ ગુમાવ્યો હતો અને પાણીના ટેન્કર સાથે અથડાઈને 20 ફૂટ ઊંડી ખાડામાં ખાબકી હતી.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે સ્થળ પર રસ્તાનું બાંધકામ ચાલી રહ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવા જણાવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 1:55 પી એમ(PM)
ઉત્તર પ્રદેશના લખનૌમાં બસ પલટી જતાં પાંચના મોત
