ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 4, 2024 1:58 પી એમ(PM) | અકસ્માત

printer

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં દસ લોકોના મોત

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મિર્ઝાપુર-વારાણસી સરહદ નજીક 13 મજૂરોને લઈ જઈ રહેલી ટ્રેક્ટર ટ્રોલીને પાછળથી ટ્રકે ટક્કર મારતા આ ઘટના સર્જાઈ હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે માટેની તંત્રને સૂચના આપી હતી.. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો અંગે શોક વ્યક્ત કર્યો હતો તેમજ મૃતકોના વારસદારોને બે-બે લાખ તથા ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મિર્ઝાપુરના સાંસદ, કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.