ઉત્તરપ્રદેશમાં, આજે સવારે ગોંડામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને ચાર ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૃથ્વીનાથ મંદિર જઈ રહેલું 15 લોકોથી ભરેલું એક વાહન પરસરાય અલાવલ દેવરિયા રોડ પર રેહરા ગામમાં સરયુ નહેર પુલ પાસે કાબુ ગુમાવીને નહેરમાં પડી ગયું હતું. ઇતિયાથોક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કે જી રાવે માહિતી આપી હતી કે નહેરમાંથી 11 મૃતદેહ મળી આવ્યા છે. ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
Site Admin | ઓગસ્ટ 3, 2025 1:52 પી એમ(PM)
ઉત્તર પ્રદેશના ગોંડામાં કાર નહેરમાં ખાબકતાં અગિયારના મોત
