ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ જિલ્લાના ગૌરીકુંડ નજીક ખાર્કની ટેકરીઓમાં આજે સવારે એક હેલિકોપ્ટર તૂટી પડતા તમામ છ પ્રવાસી અને એક પાયલટનું મૃત્યુ થયું છે.
યાત્રાળુઓ કેદારનાથ મંદિરની મુલાકાત લઈને ગુપ્તકાશી પરત ફરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્થળ પર રવાના કરવામાં આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
હેલિકોપ્ટર સંપૂર્ણપણે રાખ થઈ ગયું છે અને તમામ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. વિમાન અકસ્માત તપાસ બ્યુરો હેલિકોપ્ટરની દુર્ઘટનાની તપાસ કરશે
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
Site Admin | જૂન 15, 2025 3:55 પી એમ(PM)
ઉત્તરાખંડમાં ગૌરીકુંડ નજીક હેલિકોપ્ટર તૂટી પડતા તમામ છ પ્રવાસી અને એક પાયલટનું મૃત્યુ
