ઉત્તરપ્રદેશના મથુરામાં આજે સવારે ચાર વાગ્યાની આસપાસ અનેક બસ એકબીજા સાથે અથડાતા 13 લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મથુરાના બળદેવ વિસ્તારમાં યમુના ઍક્સપ્રેસ-વૅ પર સર્જાયેલા અકસ્માતમાં બસ અથડાવવાના કારણે વાહનોમાં ભીષણ આગ પણ લાગી હતી.
ગાઢ ધુમ્મસના કારણે દુર્ઘટના બાદ સ્થાનિક પોલીસ અને તંત્ર-એ તાત્કાલિક બચાવ અભિયાન હાથ ધર્યું. વરિષ્ઠ પોલીસ અધિક્ષક શ્લોક કુમારે જણાવ્યું, આ દુર્ઘટના વખતે મોટા ભાગના પ્રવાસી ઊંઘમાં હતા. હાલ ઈજાગ્રસ્તોની વિવિધ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. શ્રી આદિત્યનાથે તમામ સંસ્થાઓ અને અધિકારીઓને રાહત કાર્ય ઝડપથી કરવા નિર્દેશ આપ્યા છે. તેમણે મૃતકોના નજીકના પરિવારજનને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
બીજી તરફ, પ્રધાનમંત્રી કાર્યાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
Site Admin | ડિસેમ્બર 16, 2025 7:42 પી એમ(PM)
ઉત્તરપ્રદેશમાં બસ અકસ્માતમાં 13-ના મોત – રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું