જાન્યુઆરી 6, 2026 7:30 પી એમ(PM)

printer

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ વિકસિત ભારત – જી રામ જી કાયદો ગ્રામીણ વિકાસ ક્ષેત્રે મહત્વની સિદ્ધિ તરીકે સાબિત થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, વિકસિત ભારત – જી રામ જી કાયદો 2025 દેશના ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં મહત્વની સિદ્ધિ તરીકે સાબિત થશે અને તે વિકસિત ભારતનો પાયો નાખશે. લખનઉના લોકભવનમાં વર્ષની પહેલી મંત્રીમંડળની બેઠક બાદ શ્રી આદિત્યનાથે કેન્દ્ર સરકારના આ નિર્ણયની પ્રશંસા કરતા તેને મહત્વનો કાયદો ગણાવ્યો.
શ્રી આદિત્યનાથે કહ્યું, આ કાયદાને પારદર્શક પ્રક્રિયા સુનિશ્ચિત કરવા, રોજગારની તકનું સર્જન કરવા, બાંહેધરી આપવા અને ગ્રામીણ ક્ષેત્રમાં સ્થાયી મિલકતનું નિર્માણ કરવા પસાર કરાયો છે. તેનાથી ગ્રામીણ માળખાકીય સુવિધામાં વધારો થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.