ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 23, 2024 2:21 પી એમ(PM)

printer

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં પોલીસ અથડામણમાં, ત્રણ ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓ ઠાર મરાયા છે

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં પોલીસ અથડામણમાં, ત્રણ ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓ ઠાર મરાયા છે..
આજે સવારે પંજાબ અને ઉત્તરપ્રદેશ પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહીમાં આ સફળતા મળી છે. આ અથડામણમાં બે પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા મુજબ,” ગુરવિંદર સિંહ, વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ, જસનપ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહ આ ત્રણેય આતંકીઓ પીલીભીત જિલ્લાના પુરનપુર વિસ્તારમાં સંતાયેલા હતા. તેમની ઉંમર 18 થી 25 વર્ષની છે. ત્રણેય પંજાબના રહેવાસી છે.
પોલીસનું કહેવું છે કે,” આ અથડામણમાં, બે પોલીસકર્મી શાહનવાઝ અને સુમિત રાઠી ઇજાગ્રસ્ત થતાં તેમણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.. આતંકવાદીઓ પાસે, એકે 47 મળી છે. ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.