ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે ગાઝા શહેર પર કબજો કરવાના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
મંત્રીમંડળે ગાઝામાં યુદ્ધનો અંત લાવવા માટે પાંચ સિદ્ધાંતો પણ અપનાવ્યા છે, જેમાં હમાસને નિઃશસ્ત્ર કરવા, બધા બંધકોને પરત લાવવા, ગાઝાનું લશ્કરીકરણ, ગાઝામાં ઇઝરાયલી સુરક્ષા નિયંત્રણની સ્થાપના અને એક નાગરિક વહીવટની સ્થાપનાનો સમાવેશ થાય છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલ સંરક્ષણ દળો-IDF યુદ્ધ ક્ષેત્રની બહાર નાગરિક વસ્તીને માનવતાવાદી સહાય પહોંચાડતી વખતે ગાઝા શહેરનો નિયંત્રણ લેવાની તૈયારી કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા કેબિનેટના મોટાભાગના મંત્રીઓ માને છે કે સુરક્ષા કેબિનેટને સુપરત કરાયેલી વૈકલ્પિક યોજના ન તો હમાસને હરાવી શકશે કે ન તો બંધકોને પરત મેળવી શકશે.
અગાઉ, સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી હતી કે આ ક્ષેત્રમાં ઇઝરાયલ દ્વારા લશ્કરી કાર્યવાહીમાં વધારો પેલેસ્ટિનિયન નાગરિકો તેમજ ઇઝરાયલી બંધકો માટે વિનાશક સાબિત થઈ શકે છે.
Site Admin | ઓગસ્ટ 8, 2025 2:45 પી એમ(PM)
ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે ગાઝા પર કબજો કરવાના પ્રધાનમંત્રી નેતન્યાહૂના પ્રસ્તાવને મંજૂરી આપી