ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સાર આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી (EAM) ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. ભારતની બે દિવસીય રાજદ્વારી મુલાકાતે આવેલા સાર ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓને પણ મળશે.ઇઝરાયલી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ મુલાકાત દરમિયાન, તેઓ અન્ય સરકારી અધિકારીઓ, રાજદૂતો, રાજદ્વારીઓ, સંશોધન સંસ્થાઓના વડાઓ અને સ્થાનિક વ્યાપારી નેતાઓને પણ મળશે. તેમની મુલાકાત દરમિયાન, વિદેશ મંત્રી બુધવારે ઇઝરાયલ પરત ફરતા પહેલા મધ્ય પૂર્વ બાબતો પર વિદેશ નીતિ અને સુરક્ષા વિદ્વાનોને પણ માહિતી આપશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત અને ઇઝરાયલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી છે, બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને સંપૂર્ણ રાજદ્વારી સંબંધોમાં અપગ્રેડ કર્યાના 30 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી સંયુક્ત રીતે કરશે.
Site Admin | નવેમ્બર 4, 2025 9:49 એ એમ (AM)
ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સાર આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી (EAM) ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે