પ્રધાનમંત્રીની ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતના અંતિમ દિવસે આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ આ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જર્મનના ચાન્સેલર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા માટે અનેક વિષયો પર ચર્ચા-વિચારણા કરશે.
Site Admin | જાન્યુઆરી 11, 2026 7:28 પી એમ(PM)
આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે