મહાકુંભનું બીજું અમૃત સ્નાન આવતીકાલે પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા નિમિત્તે થશે. મૌની અમાવસ્યાનું ધાર્મિક મહત્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે અમૃત સ્નાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા તરીકે ઓળખાતા મહા કુંભ મેળાની શરૂઆત 13 જાન્યુઆરીએ થઈ હતી અને પ્રથમ અમૃત સ્નાન 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે થયું હતું.
મૌની અમાવસ્યા સ્નાન માટે પ્રયાગરાજમાં કરોડો ભક્તો અને પ્રવાસીઓ એકઠા થવાની સંભાવના છે, ત્યારે મેળા વહીવટીતંત્ર અને પોલીસે ભક્તોને સુરક્ષિત અને આરામદાયક અનુભવ સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા પગલાં વધુ સઘન બનાવ્યા છે.(વોઇસ કાસ્ટ મહાકુંભ- વિશાલ) આવતીકાલે મૌની અમાવસ્યા નિમિત્તે પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે ભારતીય રેલ્વેએ વધારાની ટ્રેનોનું આયોજન કર્યું છે. રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ સતીશ કુમારે જણાવ્યું હતું કે રેલવેએ અગાઉ શરૂ કરેલી ખાસ ટ્રેનો ઉપરાંત 60 વધારાની ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, આ સાથે મૌની અમાવસ્યાના અવસરે દોડાવાનારી કુલ ખાસ ટ્રેનોની સંખ્યા લગભગ 190 થશે. કુમારે જણાવ્યું કે, આ ખાસ ટ્રેનો ઉપરાંત, રૂટ પર નિર્ધારિત 110 નિયમિત ટ્રેનો રાબેતા મુજબ દોડશે. તેમણે કહ્યું કે, પ્રયાગરાજથી દર 4 મિનિટે મુસાફરો માટે ટ્રેન ઉપલબ્ધ રહેશે. શ્રી કુમારે ઉમેર્યું હતું કે રેલવે ઉત્તર પ્રદેશ સરકાર સાથે ગાઢ સંકલનમાં શ્રદ્ધાળુઓ માટે વધુ સારી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે.
Site Admin | જાન્યુઆરી 28, 2025 8:23 પી એમ(PM) | મૌની અમાવસ્યા
આવતીકાલે મૌની અમાવસ્યા નિમિત્તે મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા રેલ્વેએ વધારાની ટ્રેનોનું આયોજન કર્યું
