આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મંત્રીએ મૃતદેહો જ્યાં રાખવામાં આવ્યા છે તે કોલ્ડ સ્ટોરેજ રૂમની પણ મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. દરમિયાન, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં DNA મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ ડીએનએ નમૂનાઓના આધારે અત્યાર સુધીમાં નવ પીડિતોની ઓળખ કરી છે. નાયબ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ રજનીશ પટેલે જણાવ્યું કે 8 ઇજાગ્રસ્ત હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.
દરમિયાન, બીજે મેડિકલ કોલેજના સત્તાધીશોએ દુર્ઘટના સ્થળની નજીક આવેલી હોસ્ટેલો ખાલી કરાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે કોલેજના વડા ડૉ. મીનાક્ષી પરીખે વધુ માહિતી આપી.
Site Admin | જૂન 14, 2025 7:37 પી એમ(PM) | રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
