ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 7:14 એ એમ (AM)

printer

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદએ માત્ર રોગોનું નિદાન જ નહિ, પરંતુ જીવન જીવતાં શીખવતું વિજ્ઞાન છે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદએ માત્ર રોગોનું નિદાન જ નહિ, પરંતુ જીવન જીવતાં શીખવતું વિજ્ઞાન છે. ગઈકાલે અમદાવાદમાં ‘વંદે આયુકોન-2025’ કાર્યક્રમમાં શ્રી પટેલે જણાવ્યું કે આયુર્વેદના ચિકિત્સકોએ તેમને ડૉક્ટર તરીકે ઓળખાવવાના બદલે વૈદ્ય તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ.
આ પ્રસંગે આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું કે છેલ્લાં ૧૦ વર્ષમાં આયુર્વેદિક ઉત્પાદનોનું ટર્નઓવર ૨.૮૫ અબજ ડૉલરથી વધીને ૨૪ અબજ ડૉલર થયું છે. તેમણે કહ્યું છેલ્લાં દસ વર્ષમાં આયુર્વેદનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા પાંચ ટકાથી વધીને આશરે 50 ટકા સુધી પહોંચી છે.આ કાર્યક્રમમાં આયુર્વેદ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા શ્રેષ્ઠ આયુર્વેદ ચિકિત્સકોને સન્માનિત કરાયા હતા અને રાજ્યમાંથી પસંદ થયેલા 11 શ્રેષ્ઠ આયુર્વેદિક ક્લિનિકને ‘બેસ્ટ ક્લિનિક-2025’ પુરસ્કાર એનાયત કરાયો હતો. ઉપરાંત , 500 ચિકિત્સકોને નિઃશુલ્ક ક્લિનિક ઓપીડી સોફ્ટવેર પણ અપાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ