ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈદ્ય તરીકે પોતાની ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈદ્ય તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ. અમદાવાદમાં ‘વંદે આયુકોન-2025’ કાર્યક્રમમાં શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આયુર્વેદ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે.
આ પ્રસંગે આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું કે છેલ્લાં દસ વર્ષમાં આયુર્વેદનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 5 ટકાથી વધીને આશરે 50 ટકા સુધી પહોંચી છે.આ કાર્યક્રમમાં આયુર્વેદ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા શ્રેષ્ઠ આયુર્વેદ ચિકિત્સકોને સન્માનિત કરાયા હતા અને રાજ્યમાંથી પસંદ થયેલા 11 શ્રેષ્ઠ આયુર્વેદિક ક્લિનિકને ‘બેસ્ટ ક્લિનિક-2025’ એવૉર્ડ એનાયત કરાયો હતો. તદુપરાંત, 500 ચિકિત્સકોને નિઃશુલ્ક ક્લિનિક ઓપીડી સોફ્ટવેર પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના 27 હજારથી વધુ આયુર્વેદિક તબીબો ઓનલાઇન તથા ઓફલાઇન માધ્યમથી સહભાગી થયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ