આપત્તિ નિવારણમાં શિક્ષણના મહત્વને ઉજાગર કરવાના ઉદ્દેશથી આજે આપત્તિ જોખમ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે કુદરતી આપત્તિ સમાજ અનેઅર્થવ્યવસ્થાની સાથે સાથે બાળકોના શિક્ષણ, આરોગ્ય અનેસલામતીને પણ અસર કરે છે.
શ્રી ગુટેરેસે આપત્તિઓ સામે ટકી શકે તેવી શાળાઓ બનાવવાની અપીલ
કરી છે. તેમણે આબોહવા પરિવર્તિત અંગે બાળકોને શિક્ષિત કરવાનું સૂચન કર્યું છે.