ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 14, 2024 3:25 પી એમ(PM) | આદિવાસી

printer

આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ કરશે

આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના જમુઈ ખાતેથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ કરશે.
રાજ્યકક્ષાની ઉજવણીનાં ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતી કાલે ડાંગના આહવા ખાતે ઈ-સંવાદ કાર્યક્રમ યોજાશે.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૧૦ કલાકે યોજાનાર કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર, વલસાડ- ડાંગ જિલ્લાના સાંસદ તેમજ લોકસભાના દંડક ધવલ પટેલ સહિતનાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત, આવતી કાલે મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
જનજાતિય વિસ્તારોમાં રહેલા લોકોનું જીવન ધોરણ સુધારવા, સરકારી યોજના વિષેની લોકજાગૃતિ કેળવવા તેમજ યોજનાનો લાભ અત્યંત અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ