ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 6, 2024 10:50 એ એમ (AM)

printer

આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં

આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં હોવાનાં અહેવાલ છે.
માધ્યમોના અહેવાલ પ્રમાણે, નિર્માણ દરમિયાન ગર્ડરનો ભાગ તૂટી પડતાં બેથી અઢી ટન વજનનાં પથ્થરો પુલ પરથી નીચે પડતાં ચાર શ્રમિકો દટાયા હતા, જેમાંથી ત્રણનાં મૃત્યુ થયા હતા અને એકને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત શ્રમિકને વડોદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં રેલવે, પોલિસ અને અગ્નિશમન વિભાગે બચાવ કામગીરી હાથ ધરી હતી. JCB વડે પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ