મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વાતંત્ર્યસેનાની સ્વર્ગસ્થ શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિતે શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે.
વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ મુખરજી કાશ્મીરના મુદ્દે ખૂબ જ સક્રિય અને ચિંતિત હતા અને દેશમાં એક વિધાન-એક નિશાન-એક પ્રધાન સિદ્ધાંતના શિલ્પકાર પણ હતા.
Site Admin | જુલાઇ 6, 2025 2:48 પી એમ(PM)
આજે સ્વાતંત્ર્યસેનાની સ્વર્ગસ્થ શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી