ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 19, 2024 3:16 પી એમ(PM)

printer

આજે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો

આજે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત
ધારણ કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.સવારથી જ વિવિધ બ્રાહ્મણ સંગઠનો દ્વારા નદી
કિનારા અને મંદિરોમાં નવુ યજ્ઞોપવિત ધારણ કરાયું હતું. ગાયત્રી મંત્ર અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ
સાથે પરંપરાગત રીતે આ કાર્યક્રમ યોજાયા હતા.
આ ઉપરાંત આજના દિવસે દરિયાદેવની પણ પૂજા કરવાની પરંપરા છે. સાગરખેડૂઓ
દ્વારા શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે વલસાડ, નવસારી, દિવ દમણ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારા ઉપર
દરિયાદેવનું પરંપરાગત રીતે પૂજન કર્યું હતું.