ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 10, 2025 8:51 એ એમ (AM)

printer

આજે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાદવ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંમેલન યોજાશે

આજે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હોમિયોપેથી એ વિશ્વની બીજી સૌથી મોટી તબીબી પ્રણાલી છે. તે આરોગ્ય સંભાળ માટે સર્વગ્રાહી અભિગમ પ્રદાન કરતી હોવાથીતેની કુદરતી, બિન-નુકસાનકારક સારવારને કારણે વિશ્વભરના લાખો લોકોને આકર્ષે છે.આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં 10 કરોડથી વધુ લોકો તેમની સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે હોમિયોપેથી પર વિશ્વાસ કરે છે. વિશ્વ હોમિયોપેથી દિવસ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.આજે સવારે ગાંધીનગરમાં ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી, નેશનલ કમિશન ફોર હોમિયોપેથી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથીના ઉપક્રમે હોમિયોપેથિક સંમેલન યોજાશે. આ પ્રસંગે આયુષ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ