આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે. આ દિવસ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય મંત્રીઓએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ એક શાશ્વત, સ્વપ્નદ્રષ્ટા અને આધ્યાત્મિક વ્યક્તિત્વ હતા. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદનું જીવન અને ઉપદેશો આંતરિક શક્તિ, સ્વ-શિસ્ત અને નિઃસ્વાર્થ સેવાને અર્થપૂર્ણ જીવનના આધારસ્તંભ તરીકે ભાર મૂકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ ભારતના યુવાનો માટે પ્રેરણાના શક્તિશાળી સ્ત્રોત છે. તેમણે શુભેચ્છા પાઠવી કે રાષ્ટ્રીય યુવા દિવસ તમામ દેશવાસીઓ, ખાસ કરીને યુવાનોમાં નવી શક્તિ અને નવો આત્મવિશ્વાસ લાવે.
Site Admin | જાન્યુઆરી 12, 2026 8:16 પી એમ(PM)
આજે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી થઇ