રાજ્યમાં ગત 19 તારીખે યોજાયેલી વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બે મતદાન મથક પરનું મતદાન રદ કરવામાં આવતા આજે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર સાતથી સાંજનાં છ વાગ્યા દરમિયાન પુનઃમતદાન શરૂ થયું છે.
આ સાથે જ આવતીકાલે રાજ્યના 33 જિલ્લામાં 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે. આમાંથી 4 હજાર 688 પંચાયતો માટે નિયમિત ચૂંટણી અને 3 હજાર 638 પર પેટાચૂંટણી યોજાશે.આ માટે 44 હજાર 850 વોર્ડમાં 16 હજાર 500 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્યનાં એક કરોડ 30 લાખથી વધુ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે. 27 ટકા OBC અનામત લાગુ થયા બાદ પ્રથમવાર પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. સવારે સાત વાગ્યે મતદાન શરૂ થશે અને સાંજે છ વાગે પૂર્ણ થશે. મત ગણતરી 25મી જૂને હાથ ધરાશે.
Site Admin | જૂન 21, 2025 10:35 એ એમ (AM) | મતદાન
આજે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર સાતથી સાંજનાં છ વાગ્યા દરમિયાન પુનઃમતદાન શરૂ
