આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 27 જૂને રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડવાની શક્યતા છે. આજે અમદાવાદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવના હવામાન વિભાગના વડા ડૉ.એ.કે.દાસે વ્યક્ત કરી છે.
આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
