કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ, ઉર્ફે લલ્લન સિંહે એ વાત પર પ્રકાશ પાડ્યો છે કે આજે દેશભરમાં લગભગ 14 લાખ મહિલાઓ પંચાયતી રાજ સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. આજે નવી દિલ્હીમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ માટેના રાષ્ટ્રીય પરિષદમાં સશક્ત પંચાયત-નેત્રી અભિયાનના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું હતું કે સરકારે મહિલાઓને સશક્ત બનાવવા માટે લખપતિદીદી અને નમો ડ્રોન દીદી યોજનાઓ સહિત અનેક પહેલ કરી છે. તેમણે મહિલાઓમાં આત્મવિશ્વાસ જગાડવા માટે પંચાયતી રાજ સંસ્થાઓમાં કૌશલ્ય વિકાસની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસમંત્રી અન્નપૂર્ણા દેવીએ ભાર મૂક્યો હતો કે મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને આર્થિક વિકાસ પણ થાય છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલ અને કેન્દ્રના યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા નિખિલ ખડસે પણ હાજર રહ્યા હતા.
Site Admin | માર્ચ 4, 2025 6:19 પી એમ(PM) | કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ
આજે દેશભરમાં લગભગ 14 લાખ મહિલાઓ પંચાયતી રાજ સંસ્થાઓ સાથે સંકળાયેલી છે : કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ