એપ્રિલ 18, 2025 9:46 એ એમ (AM)

printer

આજે દેશભરમાં પ્રકાશ પર્વની આસ્થા ભેર ઉજવણી

આજે નવમા શીખ ગુરુ, ગુરુ તેગ બહાદુર સાહેબજીની જન્મજયંતિ છે. તેમનો જન્મ 1621માં અમૃતસરમાં થયો હતો. તેઓ છઠ્ઠા ગુરુ શ્રી ગુરુ હરગોવિંદ સાહેબજીના સૌથી નાના પુત્ર હતા. એક નિર્ભય યોદ્ધા હોવા ઉપરાંત, તેઓ એક આધ્યાત્મિક વિદ્વાન અને કવિ પણ હતા.પ્રકાશ પર્વ નિમિત્તે, પંજાબમાં આજે શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુરુદ્વારાઓમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા અને પવિત્ર ગુરુબાની સાંભળવા માટે ઉમટી રહ્યા છે.