ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 29, 2025 2:04 પી એમ(PM)

printer

આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ- કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે વાઘ અને તેમના માળખાનું રક્ષણ કરવા સૌને અપીલ કરી.

આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે 29 જુલાઈના રોજ આ દિવસ વિશ્વભરમાં વાઘના કુદરતી રહેઠાણોનું સંરક્ષણ કરવા સંરક્ષણ પ્રયાસોને સમર્થન આપવા માટે ઉજવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ નિમિત્તે, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે વાઘ સંરક્ષણમાં ભારતની નોંધપાત્ર સફળતા પર પ્રકાશ પાડ્યો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી યાદવે ઉલ્લેખ કર્યો કે 58 અભ્યારણ્ય અને 3 હજાર 682 વાઘ સાથે, દેશ વાઘ સંરક્ષણમાં વિશ્વ માટે એક ઉદાહરણ તરીકે ઉભરી આવ્યો છે.
તેમણે કહ્યું કે વાઘ સંરક્ષણ ફક્ત પ્રજાતિઓને બચાવવા વિશે નથી. મંત્રીએ ઉમેર્યું કે વાઘની વધતી સંખ્યા તેઓ જે જંગલોમાં રહે છે તેના સ્વાસ્થ્યનું પણ પ્રતીક છે. શ્રી યાદવે દરેકને વાઘ અને તેમના માળખાનું રક્ષણ કરવા માટે પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી.
આ પ્રસંગે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રાણી સંગ્રહાલય ઉદ્યાનમાં એક કાર્યક્રમને સંબોધતા, શ્રી યાદવે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, દેશમાં અગિયાર નવા વાઘ અભયારણ્યો ઉમેરવામાં આવ્યા છે, જે 2014 માં 47 થી વધીને હવે 58 થયા છે.