ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

આજે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ..

આજે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ ઉજવાઇ રહ્યો છે. વિવિધ વાયુઓના નરમ કવચના રૂપમાં, ઓઝોન વાયુનું સ્તર પૃથ્વીને સૂર્યના કિરણોની હાનિકારક અસરોથી સુરક્ષિત કરેછે અને પૃથ્વી પરના જીવનને બચાવવામાં મદદરૂપ થાય છે.
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઘણા રાસાયણિક પદાર્થો ઓઝોન સ્તરને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. આ વર્ષે આબોહવા ક્ષેત્રે આગળ વધો વિષય વસ્તુ સાથેઓ ઝોન દિવસની ઉજવણી કરાઇ રહી છે.
કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત 140 દેશોના 25 હજાર પ્રતિનિધિઓ સામેલ થયા છે. સંમેલન દરમિયાન 40થી વધુ સત્રો, 5 પેનલ ચર્ચા, 115થી વધુ બીટુબી મિટિંગનું આયોજન કરાયું છે.